હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના 77મા સ્વતંત્રતા દિવસની 19 ઓગષ્ટના રોજ શાનદાર ઉજવણી કરાઇ હતી.
સંસ્થાના ચેરપર્સન નિર્મલાબેન પટેલ અને તમામ કમિટી મેમ્બર્સે આ પ્રસંગે ઘણા વર્ષોની સેવા, સખત મેહનત તથા નિસ્વાર્થ સમર્પણને બિરદાવી અશ્વિનભાઈ ગલોરિયાના શુભ હસ્તે દીપ પ્રજવલિત કરાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
સંસ્થા આ દેશમાં જન્મેલા બાળકોને કલાના માધ્ય
મથી આપણા દેશની સંસ્કૃતિ તથા રિતિરિવાજોથી પરિચિત કરાવે છે. 13 જ્ઞાતિઓના 5 વરસથી માંડીને 60 વર્ષ ના વ્યક્તિઓએ એમાં ભાગ લઈ દેશભક્તિનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. સ્વતંત્રતા મેળવવા આપણા પૂર્વજોએ કેટલા દુ:ખ અને કષ્ટ વેઠીને આઝાદી મેળવી હતી અને આઝાદી જીવનમાં કેટલી જરૂરી છે એનો વિવિધ નૃત્યો દ્વારા સંદેશો આપ્યો હતો. તો આઝાદી માટે બલિદાન આપનાર વિરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
