(Photo by Stefan Rousseau-WPA Pool/Getty Images)

બ્રિટિશ વડા પ્રધાન તેમના ભારતીય સાસુ-સસરા સાથે ડિનર ટેબલ પર શું ચર્ચા કરે છે? તે ભારતીય રાજકારણ કે બ્રિટન સામેના પડકારો અંગેની નથી, પરંતુ તે ક્રિકેટ અંગેની છે. 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્હીની મુલાકાતના થોડા દિવસે પહેલા ભારતીય ન્યૂઝ એજન્સીને ઇ-મેઇલ મારફત આપેલા ઇન્ટરવ્યૂમાં સુનકે જણાવ્યું હતું કે “અમે ક્રિકેટની ચર્ચામાં સૌથી વધુ રાજકીય વલણ અપનાવીએ છીએ. હું સંમત છું કે ક્રિકેટની વાત આવે ત્યારે મારી પુત્રીઓ ભારતને સમર્થન આપી શકે છે, જ્યાં સુધી તેઓ ફૂટબોલની વાત આવે ત્યારે ઇંગ્લેન્ડને સમર્થન આપે છે!”

ઋષિ સુનકના માતા-પિતા ભારતીય મૂળના છે અને તેઓ પૂર્વ આફ્રિકાથી યુકે આવ્યાં હતાં. તેમની પત્ની અક્ષતા મૂર્તિ ભારતના બિલિયોનોર ટેક માંધાતા નારાયણ મૂર્તિ અને અને શિક્ષણવિદ્ સુધા મૂર્તિની પુત્રી છે.

ઋષિ સુનકે જણાવ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અને ભારત અને યુકે વચ્ચેના સહયોગથી વિવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં કેવી રીતે મદદ મળે છે તે અંગે વિચાર-વિમર્શ કરવા તેઓ આતુર છે. અક્ષતા સાથે G20 માટે ભારતનો પ્રવાસ કરીશ તે અદભૂત છે. મને આશા છે કે અમે નાના હતા ત્યારે અમે જ્યાં ગયા હતા તેમાંથી કેટલાક સ્થળોની મુલાકાત લેવાની અમને તક મળશે. અમે બંને આખી સફરમાં ખૂબ જ વ્યસ્ત રહીશું! ” .

ઋષિ સુનકે જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે તેમની નિમણૂક માટે ભારતીય લોકોનો પ્રતિસાદ “જબરજસ્ત અને વિનમ્ર હતો. મને મારા ભારતીય મૂળ અને ભારત સાથેના મારા જોડાણો પર ખૂબ ગર્વ છે. તમે જાણો છો, મારી પત્ની ભારતીય છે અને ગૌરવપૂર્ણ હિંદુ હોવાનો અર્થ એ છે કે મારું હંમેશા ભારત અને ભારતના લોકો સાથે જોડાણ રહેશે.

સુનકે જણાવ્યું હતું કે “વડાપ્રધાન બન્યા પછી મેં જે સૌથી પહેલું કામ કર્યું તેમાંથી એક ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી માટે રિસેપ્શન યોજવાનું હતું. ઘણા બ્રિટિશ ભારતીયોને નંબર 10માં આવકારવાની તક મળવી તથા ઉપરથી નીચે રોશની અને ફૂલોથી સુશોભિત ઇમારત જોવી એ અદભૂત હતું. મારા માટે તે ગર્વની અને ભાવનાત્મક ક્ષણ હતી.”

તેઓ તેમના સાસરિયાઓ સાથે બેસે છે ત્યારે તેઓ ભારતીય રાજકારણ, ટેક્નોલોજી અથવા ગ્રેટ બ્રિટન ચલાવવામાં જે સમસ્યાઓનો સામનો કરે છે તેની ચર્ચા કરે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ઋષિ સુનકે કહ્યું કે રાજકારણને પરિવારથી અલગ રાખવું મહત્વપૂર્ણ છે. અલબત્ત મારી પત્ની અને બે પુત્રીઓ તથા મારા માતા-પિતા અને સાસુ-સસરા મારા મૂલ્યોને ખૂબ માર્ગદર્શન આપે છે. મને મારા સાસુ-સસરા અને તેઓએ જે હાંસલ કર્યું છે તેના પર અવિશ્વસનીય રીતે ગર્વ છું. તેમણે શૂન્યમાંથી વિશ્વની અગ્રણી અને પ્રતિષ્ઠિત કંપનીનું સર્જન કર્યું છે, જે ભારત અને યુકે બંનેમાં હજારો લોકોને રોજગારી આપે છે, “

LEAVE A REPLY

seventeen + three =