ભારતે સોમવારે પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ માટે એરસ્પેસ પ્રતિબંધને 24 જુલાઈ સુધી વધુ એક મહિના માટે લંબાવ્યો હતો. પાકિસ્તાને પણ ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસના પ્રતિબંધને 24 જુલાઈ સુધી એક મહિના માટે લંબાવી દીધો હતો.
૩૦ એપ્રિલથી ભારતીય હવાઈ ક્ષેત્ર પાકિસ્તાન એરલાઈન્સ અને ઓપરેટરો દ્વારા સંચાલિત, માલિકીના અથવા ભાડે લીધેલા વિમાનો માટે બંધ છે, જેમાં લશ્કરી ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. ૨૨ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા બાદ સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવામાં આવેલા વિવિધ પગલાંના ભાગ રૂપે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ પ્રતિબંધ 24 મેના રોજ સમાપ્ત થવાનો હતો અને ત્યારબાદ તેને 24 જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો.
