NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI6_6_2021_001010001)

ભારતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. દેશમાં આશરે 63 પછી પછી મંગળવારે કોરોના વાઇરસના નવા એક લાખથી ઓછા કેસ નોંધાયા હતા અને ડેઇલી પોઝિટિવિટી રેટ ઘટીને 4.62 ટકા થયો હતો. મંગળવારે દેશમાં 2,123 લોકોના મોત થયા હતા, જે છેલ્લાં 47 દિવસમાં સૌથી ઓછા દૈનિક મોત છે. દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 3,51,309 હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જાહેર કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 86,498 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 2,123 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,89,96,473 થઈ હતી. બીજી તરફ, દેશમાં કુલ 23,61,98,726 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ એક દિવસમાં 1,82,282 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં 2,73,41,462 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. બીજી તરફ છેલ્લા 26 દિવસથી સતત કોરોનાના નવા કેસની સંખ્યામાં રિકવર થયેલા કેસની સંખ્યા વધી રહી છે. જેના કારણે રિકવરી રેટ વધીને 94.29 ટકા થયો હતો. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 4.62 ટકા પહોંચી ગયો છે. તેમાં છેલ્લા 15 દિવસથી પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સતત ઘટતાં ઘટતાં 5.94 પહોંચી ગયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 7 જૂન સુધીમાં ભારતમાં કુલ 36,82,07,596 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે 18,73,485 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતા.

ભારતમાં 5 એપ્રિલના રોજ પહેલીવાર કોરોના વાયરસના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. તે વખતે 24 કલાકમાં 1 લાખ 3 હજાર 844 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ બની ગયો હતો જ્યાં એક જ દિવસમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા.