ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 2,380 કેસ નોંધાયા હતા અને 56 લોકોના મોત થયા હતા. આની સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.30 કરોડ થઈ હતી, જ્યારે મૃત્યુઆંક વધીને 5.22 લાખ થયો હતો. નવા કેસમાં સતત વધારાને કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 13,433 થઈ હતી, જે કુલ કેસના 0.03 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.76 ટકા રહ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1,093નો વધારો થયો હતો. ડેઇલી પોઝિટિવિટી રેટ 0.53 ટકા નોંધાયો હતો