દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા 3967થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને 81970 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે 100 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 1685 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

81970 કોરોના વાયરસના તમામ કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોમાં ચીનની નજીક પહોંચી રહ્યો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં 82929 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 4633 લોકોના મોત નિપજી ચૂક્યા છે. જોકે, ચીનમાં અત્યાર સુધીમાં 78000થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. હવે ચીનમાં ફક્ત 101 જ એક્ટિવ કેસ છે.

જ્યારે ભારત કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 49219 સુધી પહોંચી ગઈ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કુલ 81970 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી 27920 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 100 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 2649 સુધી પહોંચી ગઈ છે.

જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 51401એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 27524 કેસ નોંધાયા છે જેમાંથી 6059 લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 9591 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 586 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં 9674, દિલ્હીમાં 8470, રાજસ્થાનમાં 4534, મધ્યપ્રદેશમાં 4426 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 3902 કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 45 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.