ભારત અને અમેરિકા વચ્ચે દિલ્હીમાં '2+2' સંરક્ષણ અને વિદેશ પ્રધાનસ્તરીય સંવાદ યોજાયો હતો. અમેરિકાના પ્રતિનિધિમંડળની આગેવાની સંરક્ષણ પ્રધાન ઓસ્ટિન અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન કરી હતી. ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું. (ANI Photo)

ભારત અને અમેરિકા વચ્ચે દિલ્હીમાં ‘2+2’ સંરક્ષણ અને વિદેશ પ્રધાનસ્તરીય સંવાદ યોજાયો હતો. અમેરિકાના પ્રતિનિધિમંડળની આગેવાની સંરક્ષણ પ્રધાન ઓસ્ટિન અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન કરી હતી. ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું.

આ ડાયલોગ દરમિયાન ભારતે કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી જતી પ્રવૃત્તિઓ અંગે તેની ચિંતાથી અમેરિકાને માહિતગાર કર્યું હતું. શીખ અલગતાવાદી નેતાની હત્યાને લઈને નવી દિલ્હી અને ઓટાવા વચ્ચે રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે આ ચિંતા વ્યક્ત કરી હતી. ભારત-યુએસ ‘2+2’ ડાયલોગ પછી વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેનેડાના સંદર્ભમાં અમે અમારા તમામ મિત્રો અને ભાગીદારો સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. આ બાબતે અમારું વલણ અનેક પ્રસંગોએ સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

ભારત અને અમેરિકા લશ્કરી વાહનોનું સહ-ઉત્પાદન કરશે. બંને દેશો વચ્ચેના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ સહકારના ભાગરૂપે પાયદળ માટેના કોમ્બેટ વ્હિકલનું સાથે મળીને ઉત્પાદન કરાશે.

એક પ્રશ્નના જવાબમાં ઓસ્ટિને જણાવ્યું હતું કે વાટાઘાટોમાં ચીન તરફથી વધી રહેલા સુરક્ષા પડકારો સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતાં. જોકે ભારત અને અમેરિકાના સંબંધો માત્ર ચીનના પડકાર આધારિત નથી. ભારત અને યુએસએ શુક્રવારે સંરક્ષણ ઉત્પાદન, મહત્ત્વના ખનિજો અને હાઇ ટેકનોલોજીના ક્ષેત્રોમાં જોડાણ મજબૂત બનાવીને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવા માટે વ્યાપક વાટાઘાટો કરી હતી. બંને દેશોએ ઇન્ડો સ્પેસિફિક રિજનમાં ચીનની વધતી જતી લશ્કરી તાકાત અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધથી ઊભી થયેલી સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

LEAVE A REPLY

3 + 7 =