Getty Images)

ભારતમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમમાં દેશમાં 19,148 નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ આ જીવલેણ બીમારીને કારણે એક જ દિવસમાં 434 દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 6,04,641 થઈ ગઈ અને 17,834 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યારે કોરોના વાયરસના 2,26,947 એક્ટિવ કેસ છે. સાથે જ અત્યાર સુધી 3,59,860 દર્દી સાજા થઈ ગયા છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ, એક જુલાઈ સુધી દેશમાં કુલ 90,56,173 સેમ્પલ લેવામાં આવ્યા છે.

ગઈ કાલે લગભગ 2,29,588 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં લગભગ બે લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, બુધવારે દેશમાં 2 લાખ 29 હજાર 588 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 90 લાખ 56 હજાર 173 ટેસ્ટ કરાયા છે.

ઉત્તરાખંડમાં કાંવડ યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હેવ કોઈ પણ કાંવડિયાં હરિદ્વાર નહીં જઈ શખે. જો કોઈ જશે તો તેને તંત્ર 14 દિવસ માટે ક્વૉરન્ટિનમાં રાખશે. તમામ ખર્ચ કાંવડિયાએ ઉઠાવવો પડશે.