Bengaluru: ISRO Chairman K Sivan during a press conference at ISRO headquarters in Bengaluru, Wednesday, Jan. 1, 2020. (PTI Photo/Shailendra Bhojak)(PTI1_1_2020_000049B)

ઈસરો ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીને પણ મોકલશે. બુધવારના રોજ ઈસરો ચીફ સિવનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઈસરો ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રી મોકલવાનો વિચાર કરી રહ્યું છે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમે ભવિષ્યમાં જરૂરથી અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલીશું, પરંતુ હાલ અમે તેના પર કોઈ કામ કરી રહ્યા નથી. અત્યારે અમે ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે અને આ પ્રોજેક્ટમાં તનતોડ મહેનત કરી રહ્યા છીએ.

ઈસરો ચીફ સિવને જણાવ્યું કે હાલમાં ગગનયાન મિશન પર કામ ચાલી રહ્યું છે અને તેના માટે પસંદ કરાયેલા ચાર અવકાશ યાત્રીઓને આ મહિનાના અંત સુધીમાં ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે. 1984માં જ્યારે રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા ત્યારે તેઓ રશિયાના મોડ્યૂલમાં ગયા હતા પરંતુ આ વખતે ભારતીય અવકાશ યાત્રી ભારતીય મોડ્યૂલમાં અંતરિક્ષમાં જશે અને ભારતમાંથી જ તેની ઉડાન પણ ભરશે.

ગગનયાન મિશન 2022માં અમલમાં મુકાશે જેમાં ચાર ભારતીય અવકાશ યાત્રીઓ અંતરિક્ષમાં જશે. અવકાશમાં મોકલનારા ચારેય અવકાશ યાત્રીઓની પસંદગી પણ કરી લેવામાં આવી છે. ચારેય ભારતીય વાયુસેનાના સભ્યો છે અને આ મહિને જ તેમની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવશે.