ભારતે રસીકરણ કવાયતમાં વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે કારણ કે, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો શુક્રવારે 19 કરોડ કરતાં વધારે (19,18,79,503) થઇ ગયો છે.
દેશમાં આજદિન સુધીમાં આપવામાં રસીના કુલ ડોઝમાંથી 66.32% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20.61 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે, ભારતે ફરીવાર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પરીક્ષણો કરવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. બીજી તરફ, હાલમાં દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.59% થઇ ગયો છે. ભારતમાં સતત આઠમા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સંખ્યા કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,57,295 દર્દી સાજા થયા છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 2,27,12,735 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.25% સુધી પહોંચી ગયો છે. નવા સાજા થયેલામાંથી 74.55% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. અન્ય એક સકારાત્મક સુધારો એ છે કે, ભારતમાં સળંગ પાંચમાં દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાતા કેસનો આંકડો 3 લાખથી ઓછો રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા 2,59,551 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 76.66% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દેશમાં એક દિવસમાં સૌથી વધુ 35,579 નવા કેસ તમિલનાડુમાં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 30,491 કેસ નોંધાયા છે.
બીજી બાજુ, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 30,27,925 થઇ ગયું છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,01,953 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 11.63% રહી છે. ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 69.47% દર્દીઓ 8 રાજ્યોમાં છે.