ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 178.55 કરોડ (1,78,55,66,940)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. શનિવારે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી દર્દીઓના એકંદરે સાજા થવાનો દર 98.65% થયો છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 63,878 છે, જે દેશના કુલ પોઝિટિવ કેસોના 0.15% છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 77.19 કરોડથી વધારે (77,19,14,261) પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.84% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.63% નોંધાયો છે.