પ્રતિક તસવીર (istockphoto.com)

ભારતીય અર્થતંત્ર ચીન અને અમેરિકા પછી 2050 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. મેડિકલ જર્નલ લેન્સલેટમાં પ્રકાશિત થયેલી એક અભ્યાસ મુજબ, વર્ષ 2100 સુધી ભારતની અર્થવ્યવસ્થા આ સ્થાન પર રહેશે. 2017માં ભારત સાતમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતું.

લેન્સલેટ 2017ને બેઝ યર માનીને કહ્યું કે 2030 સુધીમાં ભારત અમેરિકા, ચીન, જાપાન બાદ ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને પાછળથી 2050માં જાપાનને પાછળ છોડી દેશે. ભારત હાલમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં પાંચમા ક્રમે છે. તેની પાછળ ફ્રાંસ અને બ્રિટન છે.

મોદી સરકારની આશા પણ આ પ્રકારની છે. આ વર્ષે મે મહિનામાં, નીતી આયોગના વાઇસ ચેરમેન, રાજીવ કુમારે કહ્યું કે, ભારત 2047 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની છે. જો કે, વર્તમાન અંદાજ કોરોના વાયરસ રોગચાળાને કારણે આવેલી આર્થિક મંદીના કેટલાક અગાઉના અંદાજો કરતા ઓછો આશાવાદી છે.

2019માં મોદી સરકાર આવી ત્યારથી જ અર્થવ્યવસ્થાને વેગ આપવા કમર કસી છે.રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલાં જ ગયા વર્ષે ડિસેમ્બરમાં જાપાન સેન્ટર ફોર ઇકોનોમિક રિસર્ચ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું હતું કે ભારત જાપાનને પાછળ છોડી 2029 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત સરકારે 2025માં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય પણ નક્કી કર્યું છે.

લેન્સલેટમાં પ્રકાશિત આ પેપરમાં ચેતવણી આપવામાં આવી છે કે નાઇજીરીયામાં સતત વૃદ્ધિની સાથે, ચીન અને ભારતમાં કામકાજની વસ્તીમાં તીવ્ર ઘટાડો થશે, જો કે ભારત ટોચનું સ્થાન જાળવી રાખશે. 2100 સુધીમાં ભારતની ગણતરી હજી પણ વિશ્વમાં સૌથી વધુ વય વસ્તી વસ્તી ધરાવે છે.