અમદાવાદથી ગેટવિક આવતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 સાથે થયેલા દુ:ખદ અકસ્માત બાદ મુસાફરોના નજીકના સંબંધીઓ અથવા સગાસંબંધીઓ ભારતની મુસાફરી કરવા માટે ઇમરજન્સી વિઝા સહાય અથવા અન્ય કોઇ પ્રકારની સહાયની જરૂર હોય તો લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનનો ઇમરજન્સી નંબર 07768 765 035 ઉપર અથવા ટ્વીટર @HCI_London ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

દુર્ઘટના વિશેની માહિતી સહિત અન્ય તમામ પ્રશ્નો માટે, કૃપા કરીને એર ઇન્ડિયા (1800 5691 444) અને ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય (011-24610843, 096503 91859) ના ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

સહાયની જરૂર હોય તેવા લોકોને પ્રાથમિકતા મળે તે સુનિશ્ચિત કરવા માટે કૃપા કરીને આ નંબરનો ઉપયોગ ફક્ત નજીકના સંબંધીઓના ઇમરજન્સી વિઝા સંબંધિત પ્રશ્નો માટે જ કરવા વિનંતી છે. અન્ય માહિતી માટે હાઇ કમિશનના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સનો સંદર્ભ લેવા જણાવાયું છે.

LEAVE A REPLY