માનવધર્મમાં વિશ્વાસ  કરતી અને હંમેશા વિવિધ રીતે સમાજને સહયોગી બનતી સંસ્થા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હૅરો દ્વારા હિન્દુધર્મના નૂતન વર્ષની શરૂઆતમાં રવિવાર ૧૪ નવેમ્બરના રોજ સિદ્ધાશ્રમના દરેક  ટ્રસ્ટીઓ વતી સંસ્થાના સંસ્થાપક સનાતન ધર્મભુષણ  શ્રી  રાજરાજેશ્વર  ગુરુજીએ હૅરોના મેયરની ચેરિટી માટે મેયર શ્રી ગઝનફર અલીને ચેક એનાયત કર્યો હતો.

આ પ્રસંગે કાઉન્સીલર શ્રી અજયભાઇ મારુ, કીથ થોમ, શીખ સમાજના અધ્યક્ષ શ્રી ગોપાલ બચ્ચુજી અને  મહાવીર ફાઉન્ડેશનના ચંદ્રકાન્તભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા.