(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કિયારા અડવાણી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તેની પાસે ટોચના બે અભિનેતાઓ સાથેની ફિલ્મ છે, જેમાં એક રામચરણ તેમજ બીજો રણવીર સિંહ છે.

છેલ્લા થોડા દિવસોથી ચર્ચા હતી કે, કિયારા રામચરણની ફિલ્મ આર સી 15નો હિસ્સો બનવાની છે. જોકે હવે તેણે આ ફિલ્મ સાઇન કરી છે. આ ઉપરાંત તેણે સાઉથના જાણીતા દિગ્દર્શક શંકર સાથે કેટલીક ફિલ્મોની ડીલ સાઇન કરી છે.

કિયારાએ બીજી એક ફિલ્મ રણવીર સિંહ સાથે કરી છે. આ ફિલ્મ સાઉથની હિટ ફિલ્મ અન્નિયનની રીમેક છે, જેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ફિલ્મમાં તે નંદિનીનો રોલ કરી રહી છે, મૂળ ફિલ્મમાં તે ભૂમિકા સુધાએ ભજવી હતી.

કહેવાય છે કે, કિયારા રામચરણની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી જ રણવીર સિંહ સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. સાઉથની આ મૂળ ફિલ્મ વર્ષમાં રિલીઝ થઇ હતી અને બોક્સઓફિસ પર સુપરડુપર હિટ થઇ હતી.