(ANI Video Grab)

કેરાલા સ્ટોરી 2 ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે આ પ્રોપેગેન્ડા નથી. ફિલ્મનું ભલે નામ કેરાલા સ્ટોરી 2 છે, પરંતુ તેમાં ત્રણ રાજ્યોના શહેરો- કોચી, ગ્વાલિયર અને જોધપુરની કહાની છે. આ શહેરોમાં રહેતી ત્રણ હિન્દુ છોકરીઓને મુસ્લિમ યુવકો સાથે પ્રેમ થાય છે અને પછી તેમના આગ્રહથી ઇસ્લામ ધર્મ સ્વીકારે છે.

પછી, તેઓ અત્યાચારનો સામનો કરે છે. ફિલ્મની શરૂઆતમાં જણાવવામાં આવે છે કે, આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મ સમાપ્ત થયા પછી, કેટલાક તથ્યો રજૂ કરવામાં આવે છે, જેમાં આવું કેમ થઈ રહ્યું છે તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મને વધુ સારી રીતે સમજવા માટે તે જોવી રહી. આ ફિલ્મમાં મુખ્ય ત્રણ અભિનેત્રીઓ છે, અદિતિ ભાટિયા (દિવ્યા), ઉલ્કા ગુપ્તા (સુરેખા) અને ઐશ્વર્યા ઓઝા (નેહા). અદિતિ ભાટીયાને રીલ્સ બનાવીને જાણીતી થવા ઇચ્છતી યુવતી તરીકે રીતે દર્શાવવામાં આવી છે.

ઉલ્કા ગુપ્તાએ પણ સારું કામ કર્યું છે. ઐશ્વર્યા ઓઝાએ પણ તેના પાત્રમાં જીવંતતા લાવી છે. જ્યારે અન્ય કલાકારોમાં સુમિત ગહલાવત (સલીમ), અર્જન સિંહ ઔજ્લા (ફૈઝાન) અને યુક્તમ ખોસલા (રાશીદ)નો સમાવેશ થાય છે. ફિલ્મનું દિગ્દર્શન કામખ્યા નારાયણ સિંહે કર્યું છે, જ્યારે નિર્માતા-લેખક વિપુલ અમૃતલાલ શાહ અને ગીતકાર મનોજ મુન્તાશિર છે.