પવિત્ર ચૈત્ર નવરાત્રી પર્વના પાવન અવસરે રાજયના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે સાંજે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મુકામે ટેમ્પલ બુકીંગ વેબસાઇટ, યાત્રાધામની મોબાઇલ એપ નું લોન્ચીંગ તથા પવિત્ર યાત્રાધામ બુકનું વિમોચન, શ્રી 51શક્તિપીઠ સર્કલ લોકાર્પણ, ગબ્બર તળેટી ખાતે ત્રિદિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુક્યો. તેમજ ભારત દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન કર્યું.
આ પ્રસંગે રાજયના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી. રાજય કક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.