Rs.1 crore recovered from deceased DGFT officer's house in Rajkot
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી સોમવારે ધોળે દિવસે આંગડિયા લૂંટનાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા હતા. શહેરનાં વસ્ત્રાપુરની મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી રૂ. 2 કરોડની લૂંટને અંજામ અપાયો હતો.

બીજી તરફ ઘટના સ્થળની નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે રૂ. 2 કરોડ લૂંટી ભાગતા જવા લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો, આ કેસમાં આરોપી ઝડપાઇ જતા મોટી લૂંટની ઘટનામાં રૂપિયા પણ રિકવર થઇ ગયા છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી ચાલુ કરી હતી.