ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ બુધવારે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં 2026-27 માટે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવા પહોંચ્યા હતા (ANI Photo)

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ બુધવાર, 18 ફેબ્રુઆરી 2026ના રોજ 2026-27ના નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. કુલ રૂ.4.08 લાખ કરોડના બજેટમાં ટેક્સમાં વધારાની કોઇ દરખાસ્ત કરાઈ હતી. બજેટનું આ કદ અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં આશરે 10 ટકાનો વધારો દર્શાવે છે. બજેટમાં ખાસ કરીને અમદાવાદને ‘ઓલિમ્પિક-રેડી સિટી’ બનાવવા માટે રૂ.1,278 કરોડની જંગી ફાળવણી કરાઈ હતી.

કોમનવેલ્થ ગેમ્સ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત સંકુલ અને સ્ટેડિયમનો વિકાસ અને મુખ્ય સ્થળોની આસપાસ શહેરી પરિવહન જોડાણને મજબૂત બનાવશે. સ્પોર્ટસ વિભાગ માટે રૂ.1,331 કરોડની કુલ જોગવાઈ કરાઈ હતી. આમાંથી, અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા અને SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે રૂ.500 કરોડની જોગવાઈ કરાઈ હતી.

વિવિધ જિલ્લાઓમાં રમતગમત સંકુલ વિકસાવવા માટે બીજા રૂ.165 કરોડ ફાળવવામાં આવ્યા છે.કરાઈ ખાતે ઓલિમ્પિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને ગાંધીનગરમાં પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર સ્થાપવા માટે રૂ.૧૦૦ કરોડ રૂપિયાની દરખાસ્ત કરાઈ હતી. વિશ્વ કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવા માટે રૂ.90 કરોડની ફાળવણી કરાઈ હતી.
બજેટમાં ખાસ કરીને પાંચ નવા સેટેલાઇટ ટાઉનના નિર્માણ, રૂ10,000 કરોડના વિકસિત ગુજરાત ફંડ, રાજ્યના છ ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન, છ નવી જીઆઇડીસી, ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલની સ્થાપના જેવી મોટી જાહેરાતો કરાઈ હતી.

/* */

પોતાનું સતત પાંચમુ બજેટ રજૂ કરતાં બજેટ ભાષણમાં કનુભાઈ દેસાઈએ આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરી હતી. બજેટમાં પાંચ સ્તંભ એટલે કે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ભાર મૂકાયો હતો.
ખેડૂતો અંગે જાહેર કરતાં જણાવાયું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે ‘જૂની શરત’ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકાશે, જેના માટે ₹100 કરોડની જોગવાઇ કરું છું. રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે જાહેર કરાશે, જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે ₹800 કરોડની જોગવાઇ કરાઈ હતી.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.

રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે બજેટમાં વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનો પ્લાન રજૂ કરાયો હતો. આ ઉપરાંત અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન જાહેર કરાયો છે. અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” માટે ₹300 કરોડની જોગવાઈ કરાઈ હતી. પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડની જોગવાઇ કરાઈ હતી.

યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવશે.
નાણાપ્રધાને રૂ.500 કરોડના “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન”ની જાહેરાત કરી હતી. આ મિશન હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્‍ડ કેબલમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ₹100 કરોડની જોગવાઇ કરાઈ હતી.

/* */

ટનાણાપ્રધાન મોટા શહેરો પરના ભારણમાં ઘટાડો કરવા અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે પાંચ નવા સેટેલાઇટ ટાઉન બનાવવાની જાહેરાત કરી હતી. તેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર જેવા શહેરોનું સેટેલાઇટ ટાઉન તરીકે વિકાસ કરશે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.
બજેટમાં રાજ્યના 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન જાહેર કરાયો છે. સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન માટે ₹2000 કરોડની જોગવાઇ કરાઈ હતી.

નિકાસને વેગ આપવા માટે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલની સ્થાપનાની જાહેરાત કરતા નાણાપ્રધાને જણાવ્યું હતું કે દેશની માલસામાનની કુલ નિકાસમાં ગુજરાત 26%થી વધુ યોગદાન આપે છે.

 

 

LEAVE A REPLY