
ભાગેડુ ભારતીય બિઝનેસમેન મેહુલ ચોક્સીને યુકે હાઇકોર્ટે 2021માં એન્ટિગાથી તેના કથિત અપહરણ સંબંધિત સિવિલ લો સ્યુટમાં કિંગ્સ બેન્ચ ડિવિઝનના હાઈકોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ખર્ચ માટે સુરક્ષા તરીકે £677,000 જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ચોક્સીએ મે 2024 માં ભારત સરકાર અને યુકેના પાંચ રહેવાસીઓ – ગુરમિત સિંહ, ગુરજીત ભંડલ, લેસ્લી ફેરો-ગાય, ગુરદીપ બાથ અને બાર્બરા જરાબિક સામે દાવો દાખલ કર્યો હતો કે તેનું અપહરણ કરીને તેને બળજબરીથી તેને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો, અને શારીરિક અને માનસિક ઇજાઓ માટે નુકસાની માંગી હતી.
જો ચોક્સી તેના દાવામાં નિષ્ફળ જાય તો કાનૂની ખર્ચ વસૂલવામાં અસમર્થ થવાના જોખમથી બચાવવા માટે પ્રતિવાદીઓએ આ ડિપોઝિટની વિનંતી કરી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે ચોક્સીના કેસમાં સફળતાની મજબૂત શક્યતા નથી. કારણ કે આરોપીઓ કથિત અપહરણ અને હુમલામાં સંડોવાયેલા હતા કે કેમ તે અંગેના વિવાદો છે. જેને પગલે કોર્ટે સુરક્ષા ડિપોઝિટની માંગણી વાજબી ઠેરવી હતી.
કોર્ટનો નિર્ણય ચોક્સી માટે મહત્વપૂર્ણ અવરોધ છે. બીજી તરફ ભારત સરકાર 2021ની ઘટના સંબંધિત તમામ આરોપોને નકારી રહે છે.
કોર્ટ નવેમ્બર 2026માં યુકેમાં આ કેસની સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર ધરાવે છે કે કેમ તે અંગે પણ ચુકાદો આપવાની છે. બીજી તરફ બેલ્જિયમની અદાલતોએ પંજાબ નેશનલ બેંક છેતરપિંડીના કેસમાં ચોક્સીના ભારતના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, અને અન્યાયી વર્તનના જોખમના તેના દાવાઓને નકારી કાઢ્યા છે.













