બકિંગહામશાયરના ચિલ્ટર્ન સ્મશાનગૃહમાં શુક્રવાર, 4 નવેમ્બરે ગોપીચંદ પરમાનંદ હિન્દુજાના અંતિમ સંસ્કાર, ત્યારબાદ વ્હાઇટહોલમાં ઓલ્ડ વોર ઓફિસ ખાતે રેફલ્સ હોટેલમાં પ્રાર્થના સભા યુકેમાં ભારતીય સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ હતી.
જીપી તરીકે ઓળખતા ગોપીચંદનું અવસાન 4 નવેમ્બરના રોજ 84 વર્ષની વયે થયું હતું. તેમના મોટા ભાઈ શ્રીચંદ પરમાનંદ હિન્દુજાના 17 મે 2023ના રોજ 87 વર્ષની વયે અવસાનના બે વર્ષ પછી તેમનું નિધન થયું હતું.
તેઓ હિન્દુજા સામ્રાજ્યના વડા હતાં. આ ગ્રુપનું મૂલ્ય ગયા વર્ષે ઇસ્ટર્ન આઇ એશિયન રિચ લિસ્ટમાં £34.5 બિલિયન આંકવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ દેશના સૌથી ધનિક અને ખૂબ જ પ્રભાવશાળી પરિવાર બન્યાં હતાં. 21 નવેમ્બરે જારી થનારી આગામી યાદીમાં તેઓ તેમનું પ્રથમ સ્થાન જાળવી રાખે તેવી શક્યતા છે.
ભાવનાત્મક અને આંસુભરી શ્રદ્ધાંજલિ આપીને હિન્દુજા પરિવારના સભ્યોએ એકજૂથ રહેવાની તથા એસપી અને ગોપી દ્વારા તેમને આપેલા વારસાનું સન્માન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
નાની બહેન વીણુ સાથે આવેલા જીપીના પુત્રી શાનુ હિન્દુજાએ પરિવારમાં એકતાના પ્રશ્નને સંબોધિત કર્યો હતો. શાનુએ જણાવ્યું હતું કે પરિવારો ઘણા રંગો, આનંદ અને હૂંફની ક્ષણોથી બનેલા હોય છે, પણ અલગ અલગ દ્રષ્ટિકોણ પણ હોય છે. કાકા જીપીએ મને શીખવ્યું છે કે આ મતભેદો વિભાજન નથી. તેનાથી પરિવાર મજબૂત બને છે. આપણા વિચારો વ્યક્ત કરવા, એકબીજાને સમજવા અને એકબીજાના વિચારોનો આદર કરવો એ ભાગલા નથી. તેને તમે એકતાની સ્વીકૃતિ કહી શકો. આ SP અને GP બંનેની મહાનતા હતી જેના કારણે આપણે દરેકને પરિવારના સભ્યો તરીકે આપણા વિચારો વ્યક્ત કરવાની અને આપણે જે છીએ તે રીતે સ્વીકારવાની મંજૂરી આપી છે. તેમની ખોટ ભરી શકાશે નહીં, પરંતુ પરંતુ હું તેમની ભાવનાને જીવંત રાખીને તેમનું સન્માન કરીશ. હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આજે SP અને GPનો યુગ સમાપ્ત થઈ ગયો હશે, પરંતુ આપણે બધાએ તેમની પાસેથી શીખ્યા છીએ અને તેમણે જે શીખવ્યું છે તેનો અમલ કરતા રહીશું અને હંમેશા યાદ રાખો કે એકતા અને પ્રેમ એકબીજાના વિચારોને સમજવાથી આવે છે. જીવન એક પાઠ છે અને આપણે અહીં એકબીજા પાસેથી શીખી રહ્યાં છીએ.
ચિલ્ટર્ન સ્મશાનગૃહમાં મિલ્ટન ચેપલમાં 400થી વધુ લોકોની વ્યવસ્થા હતી તેથી બીજા 100 લોકો માટે ઓવરફ્લો ટેન્ટની જરૂર પડી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થવા છતાં પરિવાર અને મિત્રો ટૂંકી સૂચના પર વિશ્વભરમાંથી આવી પહોંચ્યા હતાં. ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમારે ભગવદ ગીતાના શ્લોકો વાંચ્યાં હતાં. પૂજ્ય ચિદાનંદ સરસ્વતી, સાધ્વી ભગવતી સરસ્વતી પણ ભારતમાં આવ્યાં હતાં.
અંતિમ વિદાય આપવા આવેલા લોકોમાં અરોરા ગ્રુપના ચેરમેન સુરિન્દર અરોરા, લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદ, લોર્ડ રામી રેન્જર તથા લોર્ડ અને લેડી લૂમ્બાનો સમાવેશ થાય છે.












