(PTI Photo/Kamal Kishore)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોલીવૂડમાં અગાઉ ફિલ્મ બની છે. હવે વધુ એક ફિલ્મ બનવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ છે ‘એક ઔર નરેન્દ્ર’. બી. આર. ચોપરા નિર્મિત પ્રખ્યાત ‘મહાભારત’ સીરિયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણ આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવશે.

આ ફિલ્મમાં સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને ફિલ્મમાં દર્શાવાવમાં આવશે. દિગ્દર્શક મિલન ભૌમિકે કહ્યું હતું કે, આ ફિલ્મની વાર્તાને બે ભાગમાં દર્શાવાશે. એક વાર્તા નરેન્દ્રનાથ દત્તના સ્વરૂપે સ્વામી વિવેકાનંદની હશે, જ્યારે બીજી વાર્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરીને એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કોલકાતા અને ગુજરાતમાં કરવામાં આવશે. આ ફિલ્મને મોદીના જન્મ દિન ૧૭ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાની યોજના છે. ગજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, હું પીએમ મોદીના પાત્રને પૂરતો ન્યાય આપવાના પ્રયાસ કરીશ.