ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપોરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ, પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. મોરારીબાપુની રામકથાની સાથે જોડાયેલા અનેક શ્રોતાઓ પૂજ્ય બાપુની વિનંતીને માન આપીને સ્વૈચ્છિક રીતે અત્યારે વિવિધ પ્રકારની સહાય પહોંચાડી રહ્યા છે.

પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના શ્રોતાઓ દ્વારા પૂજ્ય મોરારીબાપુની સુચના મુજબ જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને ચિત્રકૂટધામ ટ્રસ્ટની હનુમાનજીની પ્રસાદી રૂપે ફૂડ પેકેટ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. આ મદદ જ્યાં સુધી વાવાઝોની પરિસ્થિતિ પૂર્ણ પણે શાંત નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. મુંબઈના જુહુમાં આ વાવાઝોડાને લીધે તોફાની બનેલ ખાતે દરિયામાં ચાર યુવાનો ડૂબી જતા તેમના પરિવારજનોને પણ કુલ મળીને રુપિયા ૮૦ હજારની સહાય અર્પણ કરી છે. આ સિવાય ગુજરાતનાં અન્ય સ્થળોએ પણ વાવાઝોડા સંદર્ભે કોઈ પણ પ્રકારની જરુરીયાત હોય તો તે પણ પહોંચાડવા માટે પૂજ્ય બાપુએ સૂચના આપેલી છે.

LEAVE A REPLY

one × 1 =