ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (ફાઇલ ફોટો ) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ 31 માર્ચ, 2021ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી એક પણ રૂપિયાનો પગાર લીધો નથી. કોરોના વાયરસની મહામારીના પ્રકોપથી બિઝનેસ અને અર્થતંત્રને અસર કારણે તેમણે સ્વેચ્છાએ પોતાનું વેતન જતુ કર્યુ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા વાર્ષિક અહેવાલમાં જણાવામાં આવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020-21ની માટે મુકેશ અંબાણીનું વેતન ‘શૂન્ય’ હતુ. ગયા નાણાંકીય વર્ષમાં તેમણે કંપની તરફથી રૂ.15 કરોડવેતન મેળવ્યું હતું, જે છેલ્લા 15 વર્ષથી સ્થિર છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી, જે કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, તેમને પ્રત્યેક બેઠક માટે રૂ.8 કરોડ અને વાર્ષિક રૂ.1.65 કરોડનું કમિશન મળ્યુ છે. આ દરમિયાન તમામ સ્વતંત્ર ડિરેક્ટરોને રૂ.1.65 કરોડનું કમિશન અને રૂ.36 લાખ રૂપિયા સુધીની સિટિંગ ફી મળી છે.મુકેશ અંબાણીના પિતરાઇ ભાઇ નિખિલ અને હિતાલ મેસવાનીનું વાર્ષિક વેતન રૂ.24 કરોડના સ્તરે યથાવત્ રહ્યુ છે પરંતુ આ વખતે તેમાં રૂ.17.28 કરોડનું કમિશન સામેલ છે.