ભાવનગરવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે સીધી ફ્લાઇટ્સ શરૂ થઇ ગઇ હતી. શુક્રવારે સ્પાઇસ જેટની ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની નવી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવીને ફ્લાઇટનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર મોટું બિઝનેસ સેન્ટર બની રહ્યું હોવાથી લોકોની આ ફ્લાઇટ શરૂ કરવા માટે લાંબા સમયથી માગ થઇ રહી હતી. ભાવનગરથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના તમામ દિવસોએ ઓપરેટ થશે. આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસો ઉપડશે. દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો પ્રારંભ થયા પછી શનિવારથી સુરતની પણ  ફ્લાઇટ શરૂ થઇ છે.