ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે અક્ષરધામના 12 ગર્ભગૃહોમાંની મૂર્તિઓ સાથે નગરયાત્રાનું આયોજન કરાયું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં સેંકડો સંતો અને ક્તો અદમ્ય ઉત્સાહ સાથે જોડાયા હતા. વિશ્વભરમાંથી 400 પવિત્ર સ્થાનોમાંથી એકત્રિત જળના 500 કળશ સાથે અક્ષરધામના બ્રહ્મકુંડમાં ‘તડાગ ઉત્સર્ગ વિધિ’ યોજાયો હતો. 1000 કરતાં વધુ મહિલા હરિભક્તો અક્ષરધામ સંકુલમાં જલયાત્રામાં જોડાયા હતા. 3 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભારતીય અમેરિકન મહિલાઓના યોગદાનને બિરદાવતો વિશિષ્ટ કાર્યક્રમ પણ યોજાયો હતો.

 

 

LEAVE A REPLY

4 × 1 =