
પાકિસ્તાની એરફોર્સે 21 ફેબ્રુઆરીની રાત્રે અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા સાત સ્થળો પર હવાઇ હુમલા કર્યા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકોના મોત થયા હોવાનો અફઘાન સરકારે દાવો કર્યો હતો અને વળતા હુમલાની ચીમકી ઉચ્ચારી હતી.
શનિવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં સેનાના લેફ્ટનન્ટ કર્નલ અને એક સૈનિકનું મોત થયા પછી પાકિસ્તાનને આ કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે રવિવારે સવારે સોશિયલ મીડિયા જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સના આધારે ‘તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) અને ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા સાત આતંકી કેમ્પ પર હુમલો કર્યો છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું હતું કે પાકિસ્તાની જેટ વિમાનોએ રહેણાંક વિસ્તારો અને મદરેસાઓને નિશાન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના પક્તિકા અને નંગરહાર પ્રાંતમાં થયેલી આ એર સ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 19 નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. નંગરહારના બેહસુદ જિલ્લામાં એક મકાન પર થયેલા હુમલામાં એક જ પરિવારના 19 સભ્યોના મોત થયા હતાં. અફઘાન અધિકારીઓએ આ હુમલાની આકરી નિંદા કરીને જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન છે. તાલિબાન સરકારે ચેતવણી આપી હતી કે આ હુમલાનો બદલો લેવામાં આવશે.
અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં, બંને દેશો થોડા સમય માટે સશસ્ત્ર સંઘર્ષમાં થયો હતો, જેમાં 23 પાકિસ્તાની સૈનિકો અને 200થી વધુ અફઘાનિસ્તાન તાલિબાન સૈનિકો માર્યા ગયા હતાં












