Free Trade Agreement Top Priority for India-UK: Goyal
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ (ફાઇલ તસવીર (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

રેલવે પ્રધાન પીયૂષ ગોયલને ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. અગાઉ રામવિલાસ પાસવાન પાસે આ મંત્રાલય હતી અને પરંતુ તેમનું નિધન થતાં આ મંત્રાલયનો વધારાનો હવાલો ગોયલને આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ભવને શુક્રવારે એક અખબારી યાદી બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. છેલ્લા 15 દિવસમાં, બે કેન્દ્રીય પ્રધાનોનું નિધન થયું છે. રામવિલાસ પાસવાન પહેલાં રેલ્વે રાજ્ય મંત્રી સુરેશ આંગડીનું મોત કોરોના વાયરસ રોગચાળાથી થયું હતું.