અત્યારે ભારત-કેનેડા સાથે ચાલી રહેલા વિવાદમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા ઘટી હોવાની જાહેર થયું છે. એક નવા સર્વેના તારણમાં જણાયું છે કે કેનેડાના મોટાભાગના લોકો તેમને વડાપ્રધાનપદે જોવા ઇચ્છતા નથી. Ipsos દ્વારા કરેલા સર્વેમાં જણાવાયું છે કે, માત્ર 31 ટકા જ કેનેડિયન તેમને તેમના નેતા તરીકે ઇચ્છે છે, જ્યારે 40 ટકા લોકો કન્ઝર્વેટિવ દિગ્ગજ નેતા પીએર પોઇલીવરને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.

જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે વિવાદાસ્પદ નેતા જગમીત સિંઘ 22 ટકા સમર્થન સાથે ત્રીજા ક્રમે છે. તેમની લોકપ્રિયતામાં ગત વર્ષના સપ્ટેમ્બરથી ચાર પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. Ipsosના સીઇઓ ડેરેલ બ્રિકરે જણાવ્યું હતું કે આ અંતર દર્શાવે છે કે જો આજે ચૂંટણી યોજાય તો કન્ઝર્વેટિવ્સની સરકાર બની શકે છે.

જોકે, આ સર્વેના તારણો જાણવા છતાં જસ્ટિન ટ્રુડોને હજુ પણ વિશ્વાસ છે કે, તેઓ આવનારી ચૂંટણીમાં લિબરલ પાર્ટીનું નેતૃત્ત્વ કરશે. જોકે 60 ટકા કેનેડિયન માને છે કે તેમણે પાર્ટીનું નેતૃત્ત્વ કરવું જોઇએ નહીં. ગત વર્ષે ડિસેમ્બરમાં આ આંકડો 54 ટકા જ હતો. જોકે પોઇલીવેરની લોકપ્રિયતામાં આશ્ચર્યજનક વધારો થયો હતો. સર્વેમાં જણાવાયું છે કે પીઇલીવરને 42 ટકા સમર્થન મળ્યું છે. તેની સામે ટ્રૂડોને માત્ર 38 ટકા જ સમર્થન છે.

LEAVE A REPLY

19 − 7 =