વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી શનિવારે સવારે બેંગલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા માટે ટીમ ISROને અભિનંદન આપીને તેમને સંબોધન કર્યું હતું.
ઈસરોના ચેરમેન સોમનાથે ચંદ્રયાન 3ની પ્રગતિ સાથે જોડાયેલી તમામ માહિતી વડાપ્રધાનને આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું કે હું તમારા લોકોનાં દર્શન કરવા માટે ઉત્સુક હતો. આ દરમિયાન તેમણે ચંદ્ર મિશનમાં મહિલાઓના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્ત્રી શક્તિ સમગ્ર સર્જનથી લઈને કયામત સુધીનો આધાર છે. આ સાથે તેણે એક પછી એક ત્રણ જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે, ISROના આ મિશનમાં 100 થી વધુ મહિલા વૈજ્ઞાનિકો સામેલ છે. વડાપ્રધાને કહ્યું કે, ચંદ્રયાન-3 જે બિંદુએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. હવે તે સ્થાન શિવશક્તિ તરીકે ઓળખાશે.
બીજી જાહેરાતમાં તેમણે કહ્યું હતું કે, જ્યાં પણ ચંદ્રયાન 2 ના પ્રતીકો હશે, તે બિંદુને ‘તિરંગા પોઇન્ટ’ કહેવામાં આવશે. તે આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા છેલ્લી હોતી નથી. અને ત્રીજી જાહેરાત એ છે કે, હવેથી દેશ 23મી ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ તરીકે ઉજવશે.

LEAVE A REPLY

19 + ten =