Sunak launched a crackdown on anti-social behaviour
(Photo by Dan Kitwood/Getty Images)

હોરાઇઝન એકાઉન્ટિંગ સિસ્ટમની ખામીને કારણે પોસ્ટ ઑફિસ કૌભાંડમાં ખોટી રીતે ચોરી અને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠરેલા ઘણા બ્રિટિશ ભારતીયો સહિતના અસરગ્રસ્ત લોકો માટે નવા અપફ્રન્ટ વળતર તથા દોષિત લોકોને મુક્તિ આપવા માટે નવો કાયદો લાવવાની યોજનાની વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે જાહેરાત કરી હતી.

હાઉસ ઓફ કોમન્સમાં પ્રાઇમ મિનિસ્ટર્સ ક્વેશ્ચન (PMQs) દરમિયાન એક નિવેદનમાં, સુનકે જણાવ્યું હતું કે નવો પ્રાથમિક કાયદો રજૂ કરવામાં આવશે, અને પોસ્ટ ઑફિસ સામે ગ્રુપ લિટિગેશન ઓર્ડર (GLO) નો ભાગ બનેલા દરેક £75,000ની અપફ્રન્ટ ચુકવણી માટે પાત્ર હશે.

સુનકે કહ્યું હતું કે “આ આપણા દેશના ઈતિહાસમાં ન્યાયની સૌથી મોટી કસુવાવડ છે. જે લોકોએ સમુદાયોની સેવા કરવા માટે સખત મહેનત કરી હતી તેમના જીવન અને પ્રતિષ્ઠા તેમના દોષ વિના નાશ પામી હતી. પીડિતોને ન્યાય અને વળતર મળવું જ જોઈએ. સર વિન વિલિયમ્સની તપાસ શું ખોટું થયું તે ઉજાગર કરવા માટે નિર્ણાયક કાર્ય કરી રહી છે. અમે 2,500 થી વધુ પીડિતોને વળતર પેટે £150 મિલિયન ચૂકવ્યા છે.”

ડાઉનિંગ સ્ટ્રીટે સંકેત આપ્યો છે કે કાયદાને અઠવાડિયામાં રજૂ કરવાનો અને વર્ષના અંત સુધીમાં વળતર ચૂકવવાનો ઈરાદો છે.

LEAVE A REPLY

19 + 6 =