(ANI Photo)

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી પ્રસંગે ઈસ્ટ લંડન કાર રેલીનું તા. 20ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા નીચેની લિંક પર નોંધણી ફોર્મ ભરવું જરૂરી છે. https://forms.office.com/r/5ELXXyZ6TJ.

આ કાર રેલી શનિવાર, 20 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યે, ધ સિટી પેવેલિયન, કોલિયર્સ રો રોડ, કોલિયર રો, RM5 2BH ખાતેથી શરૂ થશે અને સાંજે 4.30 વાગ્યે સિટી પેવેલિયન પરત થશે. આ રેલીમાં એક ફ્લોટ પર રામ પરિવારને રાખવામાં આવનાર છે. કાર રેલી ઇલફર્ડ મંદિર, દુર્ગા મંદિર, મહાલક્ષ્મી મંદિર અને ચિગવેલમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે. જે લોકો કાર રેલીમાં જોડાઈ શકતા ન હોય તેમને સાંજે 5 વાગ્યે સિટી પેવેલિયનમાં ભોજન, આતશબાજી અને વિશેષ મહા-આરતીમાં ભાગ લેવા વિનંતી કરાઇ છે. મહા આરતી માટે તમારા પોતાના દિવા સાથે લાવવાના રહેશે.

LEAVE A REPLY

1 × four =