કોરિયોગ્રાફર પ્રભુદેવા (Photo by DOMINICK REUTER/AFP via Getty Images)

બોલીવૂડના ટોચના કોરિયોગ્રાફર અને ફિલ્મકાર પ્રભુ દેવા નજીકના ભવિષ્યમાં પોતાની સગી ભાણેજ સાથે લગ્ન કરશે એવી વાતો દક્ષિણ ભારતમાં વહેતી થઇ હતી.

પ્રભુ દેવા આમ તો પરિણિત હતા પરંતુ તેમણે પોતાની પત્ની રામલતા સાથે અણબનાવને કારણે પરસ્પરની સમજૂતીથી છૂટાછેડા લીધા હતા. હવે એવી વાતો વહેતી થઇ હતી કે પ્રભુ દેવા અને એમની ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધ હતા. જોકે, તેમણે ક્યારેય જાહેરમાં આ સંબંધનો સ્વીકાર કર્યો નહોતો. પ્રભુ દેવાના છૂટાછેડા 2011માં થયા. ત્યારબાદ અભિનેત્રી નયનતારા સાથે તેનું નામ ચર્ચામાં હતું. પરંતુ એ સંબંધ લગ્નમાં પરિણમ્યો નહોતો. હવે એવી વાત છે કે પ્રભુ દેવા પોતાની સગી ભાણેજ સાથે લગ્ન કરશે. બોલીવૂડમાં અગાઉ એકવાર આવું બની ચૂક્યું હતું. અભિનેતા અને ફિલ્મસર્જક વિજય આનંદ ગોલ્ડીએ પોતાની ભાણેજ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનું લગ્નજીવન સુખી હતું.