સનાતન હિન્દુ ધર્મના વૈશ્વિક મશાલધારક અને આપણા સમયના સૌથી આદરણીય હિન્દુ ગુરુઓમાંના એક પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ (1921-2016)ની શતાબ્દી જન્મજયંતિની ઉજવણીના શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન આગામી જૂન અને જુલાઇ માસ દરમિયાન કરવામાં આવ્યું છે. જે પ્રસંગે એક વિશેષ વૈદિક સમારોહ અને અનોખા ઇન્ડોર વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન લંડનના નીસડન મંદિર તેમજ બર્મિંગહામ, લેસ્ટર અને માન્ચેસ્ટરમાં આવેલા BAPS મંદિરોમાં નિષ્ણાત પંડિતો દ્વારા કરવામાં આવશે. જેની તારીખો નીચે મુજબ છે. આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો કોઈપણ સ્થળે, વ્યક્તિગત રીતે જોડાઇ શકશે.

  • BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન – ‘નીસડન મંદિર’ ગુરૂવાર 2 જૂનથી રવિવાર 5 જૂન 2022 અને શનિવાર 11 જૂન અને રવિવાર 12 જૂન 2022.
  • BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, બર્મિંગહામ – શનિવાર 18 જૂન અને રવિવાર 19 જૂન 2022.
  • BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લેસ્ટર – શનિવાર 25 જૂન અને રવિવાર 26 જૂન 2022.
  • BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, માન્ચેસ્ટર – શનિવાર 2 જુલાઈ અને રવિવાર 3 જુલાઈ 2022.

વિશ્વશાંતિ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે તા. 22 મે 2022 સુધીમાં તમારા સ્થળની નોંધણી કરાવવી જરૂરી છે.

આ અનોખા, ઇકો-ફ્રેન્ડલી ઇન્ડોર મહાયજ્ઞમાં હજારો લોકો ભાગ લેશે. પૂછપરછ માટે સંપર્ક: [email protected]