ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા વનજૈન મહાવીર જન્મ કલ્યાણક ઉજવણી 2022નું આયોજન 23 એપ્રિલ, 2022 શનિવારના રોજ બપોરે 2થી 3:30 દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વનજૈન કોમ્યુનિટી એવોર્ડ્સ એનાયત કરાશે અને જૈનપીડિયા 2.0નું વિમોચન કરાશે.

આ પ્રસંગે ગેરેથ થોમસ, એમપી, બોબ બ્લેકમેન, એમપી અને ડૉ. સતીશ કુમાર પ્રાસંગીક પ્રવચન કરશે. તો જૈનો માટે બ્રિટીશ આર્મીમાં જોડાવાની તકો અંગે તેમજ જૈન સ્ટુડન્ટ્સ એસોસિએશન અંગે માહિતી આપવામાં આવશે.

આ પ્રંસગે જૈન ભજનો રજૂ કરાશે. આ કાર્યક્રમ યુટ્યુબ અને ઝૂમ પર જોઇ શકાશે. વધુ માહિતી માટે સંપર્ક: http://www.onejainuk.org/mjk