(PTI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ધાર્મિક સંતો, અગ્રણી રાજકીય નેતાઓ, ટોચના ઉદ્યોગપતિઓ, ટોચના ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ, અમલદારો અને રાજદ્વારીઓ સહિતની હસ્તીઓને રાજ્યના મહેમાન તરીકે હાજર રહ્યાં હતા.

આ સમારંભ માટે અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અક્ષય કુમાર, અલ્લુ અર્જુન, મોહનલાલ, અનુપમ ખેર, ચિરંજીવ, અમજદ અલી, મનોજ મુન્તશીર, સંજય ભણસાલી, ચંદ્રપ્રકાશ દ્વિવેદી  સહિતની ફિલ્મ હસ્તીઓ તથા અંબાણી પરિવાર, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, પિરામલ ગ્રૂપના ચેરમેન અજય પીરામલ, મહિન્દ્રા ગ્રૂપના આનંદ મહિન્દ્રા, DCM શ્રીરામના અજય શ્રીરામ, ટીસીએસના સીઇઓ કે કૃતિવાસન, ડો રેડ્ડીના લેબના કે સતીશ રેડ્ડી, ઝીના સીઇઓ પુનિત ગોએન્કા, એલએન્ડટીના સીઈઓ એસએન સુબ્રહ્મણ્યન, ડિવિસ લેબોરેટરીઝના  દુરાલી દિવી, ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ સહિતના ઉદ્યોગપતિઓને પણ રાજ્યના મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કેટરિના કૈફ અને પતિ વિકી કૌશલ, આલિયા ભટ્ટ-રણબીર કપૂર, માધુરી દીક્ષિત અને તેમના પતિ ડૉ. શ્રીરામ નેનેએ પણ સમારોહમાં હાજરી આપી હતી. ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમા બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે પણ સમારોહમાં હાજરી આપી હતી.

LEAVE A REPLY

4 × three =