
ભૂતપૂર્વ રાજકુમાર એન્ડ્ર્યુના કૌભાંડ અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્ચે, પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમે ગયા ઑટમમાં તેમના કાકા, એન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિન્ડસરને શાહી ઉત્તરાધિકારની રેખામાંથી દૂર કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. વિલિયમ આ પ્રક્રિયામાં વિલંબથી હતાશ હતા, જે હવે સરકારના વિચારણા હેઠળ છે.
ભૂતપૂર્વ ડ્યુક ઑફ યોર્ક એન્ડ્ર્યુની ગયા મહિને પબ્લિક ઓફિસમાં ગેરવર્તણૂકની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી પણ તેમના પર કોઈ આરોપ મૂકાયો નથી. કિંગ ચાર્લ્સ અગાઉ એન્ડ્ર્યુને ઉત્તરાધિકાર રેખામાંથી દૂર કરવા માટે અચકાતા હતા પરંતુ હવે જો સરકાર આગળ વધે તો તેઓ આ પગલાને સમર્થન આપવા તૈયાર હોવાનું કહેવાય છે.
સરકારે સંકેત આપ્યો છે કે કોઈપણ કાયદાકીય કાર્યવાહીમાં વર્ષો લાગી શકે છે અને તપાસ પૂર્ણ થયા પછી જ તે શરૂ થશે. 2019માં એન્ડ્રુયુના વિવાદાસ્પદ ન્યૂઝનાઇટ ઇન્ટરવ્યુ પછી, વિલિયમે રાજા ચાર્લ્સ અને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II બંનેને પગલાં લેવા વિનંતી કરી હોવાનું કહેવાય છે.
82% બ્રિટીશર્સે એન્ડ્ર્યુને હટાવવાનું સમર્થન કર્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નેતાઓએ તેમનો ટેકો વ્યક્ત કર્યો છે. યુકે સરકારના કોઈપણ પ્રસ્તાવને કોમનવેલ્થ સમર્થન મળશે. શાહી પરિવારે આ વિકાસ પર જાહેરમાં ટિપ્પણી કરી નથી.













