ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક ભારતીય રાજનેતાઓ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આયોજિત આઈડિયાઝ ફોર ઇન્ડિયા કોનક્લેવમાં ભાગ લેવા પહોંચ્યા‍ છે. અહીં રાહુલ ગાંધી તેમના સંબોધનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પહેલાની જેમ ભારતને હાંસલ કરવા માંગે છે અને તેના માટે લડાઈ લડે છે. જયારે ભાજપ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, જયારે અમે લોકોનો અવાજ સાંભળવાનું કામ કરી રહ્યા છીએ. રાહુલે ચીનના મુદ્દે પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી.
ભારત એ સંસ્થાઓ પર હુમલાનું સાક્ષી છે જેણે દેશનું નિર્માણ કર્યું છે, જેના પર હવે ડીપ સ્ટેટનો કબજો છે. સીતારામ યેચુરી, સલમાન ખુર્શીદ, તેજસ્વી યાદવ, મહુઆ મોઇત્રા અને મનોજ ઝા સહિતના ભારતના વિપક્ષના નેતાઓ આ કોનક્લેવમાં આવ્યા હતા.
રાહુલે કહ્યું કે, ભાજપ અને સંઘ ભારતને ભૂગોળ તરીકે જુએ છે, પરંતુ કોંગ્રેસ માટે ભારત લોકોનું બનેલું છે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે કોંગ્રેસ આંતરિક ઝઘડા, બળવો, પક્ષપલટા અને ચૂંટણીમાં હાર સાથે લડી રહી છે.
ભાજપ સરકારમાં રોજગારી ઘટી છે છતાં, તે ધ્રુવીકરણને કારણે સત્તામાં રહે છે. ભારત આજે સારી સ્થિતિમાં નથી. અમારી પાસે એક ભારત છે જયાં અલગ અલગ વિચારો વ્યક્ત કરી શકાય છે અને અમે વાત કરી શકીએ છીએ. ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓ અંગે અમેરિકા બાબતે રાહુલ ગાંધીએ કહ્યું- અમારે એ કહેવાની જરૂર નથી કે ભારતમાં ધ્રુવીકરણ થઈ રહ્યું છે. અમે ધ્રુવીકરણ સામે લડી રહ્યા છીએ. કોંગ્રેસ સહિત વિપક્ષો પણ આ જ લડાઈ લડી રહ્યા છે.