
અયોધ્યામાં રામજન્મ ભૂમિ મંદિરમાં રામ દરબાર અને મંદિર સંકુલમાં બનાવવામાં આવેલા બીજા સાત મંદિરોની ગુરુવાર, 5 જૂને અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિરના પહેલા માળે રામ દરબારનું નિર્માણ કરાયું છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ હતી.આ પ્રસંગે અયોધ્યાના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
22 જાન્યુઆરી, 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બીજી મંદિરમાં આ બીજો મોટો ધાર્મિક પ્રસંગ હતો.
કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતો સાથે મંત્રોચ્ચાર કર્યા પછી મૂર્તિઓ પર બાંધેલી આંખો પર પટ્ટી ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો. ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે. ભક્તો ક્યારે રામ દરબારના દર્શન કરી શકશે તે અંગે ટ્રસ્ટે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.
3 જૂનથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ જેમ કે અધિવાસ, ઉત્સવ વિગ્રહોની પરિક્રમા અને ઔપચારિક હવનનો સમાવેશ થાય છે. 5 જૂનથી અઠવાડિયા સુધી ચાલનારા સરયુ જયંતિ જન્મોત્સવ સાથે અયોધ્યામાં આધ્યાત્મિક ઉત્સાહ ચાલુ રહેશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર મંદિર સંકુલમાં શ્રી રામ દરબાર (મધ્ય સ્થાપન), શેષાવતાર, ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્ય દેવ, દેવી ભગવતી અને દેવી અન્નપૂર્ણાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.
