દક્ષિણ કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીના અર્વાઈન ખાતેના ‘વૈષ્ણવ સમાજ ઓફ સઘર્ન કેલિફોર્નિયા’ (VSOSC) સંચાલિત શ્રીનાથજી હવેલી ખાતે રવિવાર, ૧૧ જુલાઈએ રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

બપોરના ૧૨-૦૦ થી ૧૨-૧૫ સુધી તિલક દર્શન તેમજ આરતી કરવામાં આવી હતી. તે પછી બપોર ૧૨-૩ થી ૧-૦૦ સુધી હવેલીના મુખ્યાજી શ્રી પંકજભાઈ વ્યાસજી દ્વારા રથયાત્રા કાઢવામાં આવી હતી અને ૧૨-૪૫ વાગે રથની આરતી ઉતારવામાં આવી હતી. મુખ્યાણીજી શ્રીમતિ નેહાબેન વ્યાસના મધુર કંઠે શાસ્ત્રીય સૂરમાં પદોનું ગાન થયું હતું. વૈષ્ણવો દ્વારા ભજનો અને રાસલીલા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. કોરોના મહામારીને કારણે COVID 19 અંગેની રાજ્યની ગાઈડ લાઈન મુજબ સાવધાની રાખવામાં આવી હતી. આ પ્રસંગના મુખ્ય મનોરથી શ્રીમતિ હંસાબેન તથા નરેનભાઈ પટેલ હતા.