Getty Images

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વખત ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર પ્રભાસને નાયક તરીકે ચમકાવતી ફિલ્મ આદિપુરૂષમાં રાવણનો રોલ કરશે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે. ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ છે. આ પહેલા સૈફ ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં ખલનાયકનો રોલ ભજવ્યો હતો.
ઓમ રાઉતે સૈફના ફિલ્મમાં સમાવેશની જાહેરાત કરી દીધી છે. તેણે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. તેની સાથે લખ્યું છે કે 7000 વર્ષ પહેલા દુનિયામાં સૌથી બુદ્ધિમાન દાનવ હાજર હતા.ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં પ્રભાસ છે. તે રામના રોલમાં છે. મૂવી 3માં હશે. આ ફિલ્મને હિંદી સહિત 5 ભાષાઓમાં બનાવવામાં આવશે.

સૈફ અલી ખાને આ રોલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ઓમી દાદાની સાથે ફરી કામ કરવા માટે ઉત્સુક છું. તેમની પાસે ગ્રૈંડ વિઝન અને ટિકનિકલ નોલેજ છે. હું પ્રભાસની સાથે કામ કરવા માટે પણ ઉત્સુક છું. સાથે સાથે દાનવનો રોલ કરવા માટે એક્સાઈટેડ છું.
આ ફિલ્મને લઈને પ્રભાસે કહ્યું હતું કે દરેક રોલ અને દરેક ચરિત્ર પોતાના પડકારોની સાથે આવે છે. પરંતુ આ પ્રકારના રોલ નિભાવવા માટે એક મોટી જવાબદારી અને ગૌરવ આવે છે. હું આપણા મહાકાવ્યના આ પાત્રને નિભાવવા માટે ખુબ જ એક્સાઈટેડ છું. ખાસ કરીને જે પ્રકારે ઓમે આ ડિઝાઈન તૈયાર કરી છે. મને આશા છે કે આપણા દેશના યુવાનોને અમારી ફિલ્મ ચોક્કસ પસંદ આવશે.