Photo by STRDEL/AFP via Getty Images)

ચર્ચાસ્પદ અભિનેત્રી અમીષા પટેલને બે દસકા પછી બ્લોકબસ્ટર ફિલ્મ મળી છે અને ગદર 2ના કારણે તેનું નસીબ ફરીછી ચમકી ગયું છે. બોલીવૂડમાં પોતાના અનુભવ અંગેની ચર્ચામાં અમીષાએ સંજય દત્તનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. અમીષાએ જણાવ્યું હતું કે, સંજુ બાબા છેલ્લા 20 વર્ષથી તેના લગ્ન કરાવવાનો પ્રયાસ કરે છે. તેઓ દર વખતે કહે છે કે, અમીષાના લગ્નમાં કન્યાદાન તો હું જ કરીશ.

અમીષા-સંજય દત્તે તથાસ્તુ અને ચતુરસિંગ ટુ સ્ટાર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમણે ખૂબ જ ઓછી ફિલ્મોમાં સાથે કર્યું હોવા છતાં તેમની વચ્ચે લાગણીના સંબંધો છે. અમીષા અને સંજય દત્ત એકબીજાને પોતાના પરિવારના સભ્ય માને છે.

અમીષાએ કહ્યું હતું કે, સંજય દત્તના મતે અમીષા જેવી સારી વ્યક્તિ માટે આ ઈન્ડસ્ટ્રી નથી. અમીષા ખૂબ સરળ અને સ્પષ્ટવક્તા છે. તેથી તેણે ઈન્ડસ્ટ્રીમાંથી જતા રહેવું જોઈએ. તેઓ દર વખતે કહે છે, તું ચાલ મારી સાથે હું તારા લગ્ન કરાવું. સંજય દત્ત છેલ્લા 20 વર્ષથી અમીષા માટે સારું પાત્ર શોધવાનો પ્રયાસ કરે છે. અમીષાએ વધુમાં કહ્યું હતું કે, સંજય દત્ત બધાની સામે મને લગ્ન કરી લેવા જણાવે છે. કેટલાક મૂરતિયા સંજયની વાત સાંભળીને મારી પાસે આવ્યા હતા, પરંતુ મેં તેમને પસંદ કર્યા નહોતા. આમ છતાં સંજય વારંવાર કહે છે, તારા લગ્ન થશે ત્યારે કન્યાદાન હું કરીશ. મારા સંતાનો સાથે તારા બાળકો રમશે અને હું તેને મારા સંતાનની જેમ જ સાચવીશ.

 

LEAVE A REPLY

fourteen + fifteen =