(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

સારા અલી ખાનના જણાવ્યા મુજબ તેણે સુશાંત સાથે બ્રેકઅપ તેની બેવફાઈને કારણે કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસે આ દાવો તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની પૂછપરછ દરમ્યાન કર્યો હતો. સારાએ જણાવ્યું કે તે પોતાની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમ્યાન સુશાંત સાથે રિલેશનમાં આવી હતી. જોકે અમુક મહિના પછી તેઓ જાન્યુઆરી 2019માં અલગ થઇ ગયા હતા.

રિપોર્ટ્સ મુજબ, સારાએ NCBને જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે સુશાંતના કેપ્રી હાઉસ સ્થિત ઘરે તેની સાથે રહેવા પણ ગઈ હતી. તેના જણાવ્યા મુજબ, તે સુશાંત સાથે 5 દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આયલેન્ડ પર પણ ગઈ હતી જ્યાં તેમણે પાર્ટી કરી હતી.

આ દરમ્યાન એક્ટ્રેસે દાવો કર્યો કે કેદારનાથના શૂટિંગ દરમ્યાન સુશાંત ડ્રગ્સ લેતો હતો. તે સુશાંત સાથે પાર્ટીમાં જતી હતી પણ તેણે ક્યારેય ડ્રગ્સ લીધા ન હતા. થોડા દિવસ પહેલાં સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસના મેનેજર રહેલા રઈસે દાવો કર્યો હતો કે સુશાંત સારા અલી ખાનને પ્રપોઝ કરવાનો હતો.