Getty Images)

શાહરૂખ ખાન માટે છેલ્લાં અમુક વર્ષ સારાં નહોતા રહ્યાં. તેની ફિલ્મો નહીં ચાલી અને નંબર-૧નું સિંહાસન તેનું છીનવાઇ ગયું. શાહરૂખ જાણે છે કે હીરો તરીકે તેની પાસે વધુ સમય બચ્યો નથી, કારણ કે તે ૫૦ વટાવી ગયો છે. આથી તે અમુક એવી ફિલ્મો કરવા માગે છે જે સફળ થવા સાથે યાદગાર પણ રહે.

એ દરમિયાન શાહરૂખ ખાને અનેક સ્ક્રિપ્ટ વાંચી. મોટા બેનર્સના પ્રસ્તાવ પર ધ્યાન આપ્યું, પણ વાત નહીં બની. એ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે કે શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ રાજકુમાર હિરાણી સાથે કરવા જઇ રહ્યો છે. એ સાથે તેમણે એવી ફિલ્મો બનાવી છે, જેને લાંબા સમય સુધી યાદ કરાશે. ‘મુન્નાભાઇ એમબીબીએસ’ અને ‘થ્રી ઇડિયટ્સ’ તેઓ શાહરૂખ સાથે બનાવવા માગતા હતા, પણ વાત બની નહોતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે હિરાણીની ફિલ્મનો વિષય એ લોકો વિશે છે, જે પૈસા કમાવા માટે ભારતથી વિદેશ જાય છે. પંજાબના અનેક યુવક કેનેડા ગયા છે અને કેનેડા હાલ મિની પંજાબ બની ગયું છે.