
યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મરે તાજેતરમાં વેલીન ગાર્ડન સિટી, હર્ટફર્ડશાયરની મુલાકાત લીધી હતી અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના પેટ્રન અને કાઉન્સિલર શ્રી શાહને મળ્યા હતા.
વાતચીત દરમિયાન, કાઉન્સિલર શાહે હેરો સ્થિત સનાતન મંદિર, ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના પેટ્રન તરીકે સેવા આપવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને એકસાથે લાવી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા માનવતાવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવાની સેન્ટરની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી.
સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલ આ મુલાકાત યુકેમાં ભારતીય ડાયસ્પોરાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્થાઓની વધતી જતી દૃશ્યતાને પ્રતિબિંબિત કરે છે. આ વાતચીત સામુદાયીક સંબંધોને મજબૂત બનાવવા અને સામાજિક સંવાદિતા અને આંતર-સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવામાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભજવવામાં આવતી સકારાત્મક ભૂમિકાનું પ્રતીક છે.













