સિંગાપોરમાં આગામી એક મહિના સુધી જરૂરી ચીજવસ્તુઓ અને મુખ્ય આર્થિક ક્ષેત્રો સિવાય બધુ જ બંધ રહેશે. ત્યાં એક મહિના સુધી તમામ શાળા-કોલેજો અને મોટા ભાગના તમામ કાર્યસ્થળો બંધ રહેશે. વડાપ્રધાન લી હસિયન લૂંગે શુક્રવારના રોજ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટેના ભાગરૂપે આ પ્રકારના સખત પગલા લીધા હોવાની જાહેરાત કરી હતી.

સિંગાપોર સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મંગળવારે, 2 એપ્રિલના રોજ કોરોનાના નવા 49 કેસ નોંધાયા હતા. જેમાં ત્રણ નાવ ક્લસ્ટર પણ મળી આવ્યા હતા. સિંગાપોરમાં સ્થાનિક લોકો અને વિદેશથી આવેલા લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે. આ એક અઠવાડિયામાં સંક્રમણનો આંકડો 1000થી ઉપર પહોંચી ગયો છે. શુક્રવારના રોજ ત્યાં કોરોનાના પાંચમાં દર્દીનું મૃત્યુ થયું હતું.

સિંગાપોરના વડાપ્રધાન લીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશની જનતાને જણાવ્યું કે, અમે નિર્ણય કર્યો છે કે આવનારા કેટલાક અઠવાડિયામાં વેતન વૃદ્ધિ પર સખતાઈ વર્તવાની જગ્યાએ આપણે અત્યારથી જ નિર્ણાયક પગલા ભરવા જોઈએ.

વડાપ્રધાને જણાવ્યું કે, ખાદ્ય સંસ્થાઓ, બજારો અને સુપરમાર્કેટ્સ, ક્લિનિક્સ, હોસ્પિટલ્સ, પરિવહન બેન્કિંગ અને જરૂરી સેવાઓ નાગરિકો માટે ખુલ્લી રહેશે. તેમજ તમામ રાજ્યો અને શહેરોને પોત-પોતાની શાળા-કોલેજોના તમામ વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે ઘરેથી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી આપી શિક્ષણ આપવા માટેનો આદેશ કર્યો છે.

આ ઉપરાંત સિંગાપોરના વડાપ્રધાન લીએ દેશના નાગરિકોને વિનંતી કરતા કહ્યું કે તેઓ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહે. તેમજ સોશિયલ ગેધરિંગ ટાળે. તેમજ દેશમાં અત્યારની પરિસ્થિતિ માટે અને આગામી સમય માટે પણ પૂરતા પ્રમાણમાં ખાદ્ય પુરવઠો છે, તેથી કોઈએ પણ આ મામલે ચિંતા કરવાની જરૂર નથી.