Getty Images)

ફેમસ સિંગર અલ્કા યાજ્ઞિક અને તેમના પતિ નિરજ કપૂર હાલમાં એક વાતને લઈ ભારે ચર્ચામાં છે. 26 વર્ષથી અલગ રહીને પણ આ કપલ હેપ્પી મેરેજ લાઈફ જીવે છે. અલ્કા યાજ્ઞિકના લગ્ન વર્ષ 1989માં થયા હતા. નીરજ પોતાની પત્નીના કરિયરને મહત્વ આપ્યું અને તેથી જ શિલોંગ છોડીને મુંબઈમાં બિઝનેસ માટે પ્રયત્ન કર્યો.

નસીબના જોગે ધંધામાં નુકસાન થતા અલ્કા યાજ્ઞિકે પોતાના પતિને સમજાવ્યા અને શિલોંગમાં જ રહેવા માટે કહ્યું.
ત્યારબાદ અલ્કા પોતાનું ગમે તેવું કામ હોય તે છતાં એકબીજા સાથે સમય પસાર કરવા માટે મુંબઈ અને શિલોંગ વચ્ચે મુસાફરી કરતા હતા.

પરંતુ અલ્કા યાજ્ઞિકે એક ખુલાસો કર્યો અને બધા ચોંકી ગયા હતા. સતત પતિથી દૂર રહેવાના કારણે એવો સમય આવ્યો હતો કે જ્યાપે તેને કોઈ અન્ય પુરુષ સાથે એટ્રેક્શન થયું હોય. પરંતુ અલ્કા પોતાની મર્યાદા જાણતી હતી અને તેણે બધી વાતનું ધ્યાન રાખ્યું. જેથી અલ્કાએ આવા કોઈ પણ મોકાને ફાવવા ન દીધો અને આજે આ કપલ બીજા કપલ માટે પણ એક આદર્શ છે.