10 killed 4 injured in road accident near Vadodara
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દિવાળી તહેવારોમાં સૌરાષ્ટ્ર ફરવા માટે ગયેલા અમદાવાદના પ્રજાપતિ પરિવારની કારને મોરબી નજીક અકસ્માત થતાં ચાર લોકોના મોત થયા હતા. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક રવિવારની રાત્રે પરિવારની કાર કૂવામાં પડી જતાં આ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં પરિવારના મોભી તથા તેમના દીકરાનો જીવ બચી ગયો હતો, રવિવારે બનેલી આ કમકમાટીભરી ઘટનાની પોલીસે તપાસ શરુ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલના રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (69) તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા ફરવા માટે ગયા હતા. આ દરમિયાન ગઈકાલે કણકોટ ગામ પાસે ઈકો કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કૂવામાં જઈને પડી હતી. ઘરના મોભી રતિભાઈ તેમનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ તથા ડ્રાઈવર કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે કારમાં પાછળના ભાગે બેઠેલા રતિભાઈના પત્ની મંજુલાબેન રતિભાઈ પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ (43) અને બા બાળકો આદિત્ય (16) અને ઓમ (7)નું મોત થઈ ગયું હતું.

એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, કણકોટ ગામથી રાજકોટ જવાના નજીકના રસ્તાનો ઉપયોગ કર્યા બાદ ઈકો કારનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં હતો અને તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કૂવામાં ખાબકી હતી. આ ઘટનામાં ડ્રાઈવર કારમાંથી કૂદવામાં સફળ રહ્યો હતો જ્યારે રતિભાઈ અને તેમનો દીકરો દિનેશભાઈ પણ કારમાં આગળ બેઠા હોવાથી તેઓ બહાર નીકળી ગયા હતા. જોકે, પાછળનો દરવાજો ખુલ્યો ના હોવાથી કારમાં વધારે પાણી ભરાતું જતું હતું, આવામાં બે મહિલા અને બે બાળકોના ડૂબી જવાથી મોત થઈ ગયા હોવાનું માનવામાં આવે છે.