શ્રી સોમનાથ ટ્રસ્‍ટની ટ્રસ્‍ટી મંડળની ૧૨૧મી બેઠકᅠવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના અધ્‍યક્ષ પદે શુક્રવારે ગાંધીનગરમાં યોજાઈ હતી. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્‍યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું.
કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્‍યાન સોમનાથ ટ્રસ્‍ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી હતી.
સોમનાથ તિર્થમાં ભવિષ્‍યની જરૂરીયાતોને ધ્‍યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક શ્રી બિમલભાઇ પટેલ દ્વારા માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્‍તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્‍લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી હતી.
તિર્થ પુરોહિતોના ચોપડા નું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્‍યવસ્‍થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્‍યું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભૂતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં ભારત સરકારનાᅠગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ,ᅠપ્રો. શ્રી જે ડી પરમાર,ᅠશ્રી હર્ષવર્ધન નિઓટીયા અનેᅠશ્રી પ્રવિણભાઇ લહેરી એ રૂબરૂ હાજરી આપી અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્‍ણ અડવાણીજીએ ઓનલાઇન હાજરી આપી હતી. તેમ જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.