Getty Images)

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,148 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 11,55,191 થઈ ગઈ છે. જેમાંથી 4,02,529 એક્ટિવ કેસ છે એટલે હાલ સારવાર હેઠળ છે. દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 587 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મૃતકોની સંખ્યા વધીને 28,084 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 7,24,578 દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે. બિહારમાં ગુરુવારથી ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે અનેક પ્રતિબંધ લગાવ્યા છે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. બજારથી લઈને પાર્ક સુધીના જાહેર સ્થળો પણ બંધ રહેશે. બસ સેવાને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે.